android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા કલેક્ટરને રજૂઆતગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
calendar_today September 4, 2026

Patan: પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા કલેક્ટરને રજૂઆતગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ

પાટણ શહેરમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના તેમજ માંસ-મટન અને ઇંડાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવા અંગે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય શાહ ધીરજલાલ પુનમચંદ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખીત રજુઆત કરી માંગ કરી હતી. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય ધીરજલાલ શાહ દ્વારા કલેકટર સમક્ષ કરેલી લેખીત રજુઆતમાં માંગ કરી છે કે પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજની ધાર્મિક લાગણી અને અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પાટણ શહેરમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તથા માંસ-મટન અને ઇંડાની દુકાનો બંધ રાખવા જરૂરી આદેશ કરી તેનો કડક અમલ કરાવવા માંગ કરવામાં આવી છે. તેમણે 9 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર એમ 9 દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કુંજરાવના 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન
calendar_today September 4, 2026

Anand: કુંજરાવના 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન

આણંદ તાલુકાના કુંજરાવની કુમાર શાળામાં ધોરણ-બેમાં અભ્યાસ કરતો 9 વર્ષિય આકાશ અને તેના મોટાભાઇ પ્રકાશ સાથે 28 ઓગષ્ટના રોજ તરસાડ-તલાવડી રોડ પરથી ચાલીને ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આકાશને માથામાં ગંભીર ઇજાઓ થતા તે બેભાન થઇ ગયો હતો. તેને તત્કાલિન 108 એમ્બ્યુલન્સમાં સારસા સીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંતી વધુ સારવાર અર્થે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક ઇન્ટેસીવીસ્ટ ડૉ.અમીત શાહના વડપણ હેઠળ સારવાર શરૂ કરાઇ હતી. ઇજાગ્રસ્ત આકાશના સીટીસ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જીતેન્દ્ર દેસાઇ, ડૉ.ભવદિપ મુંગલા, ડૉ.મીરાંત દોશી, ડૉ.અમીત શાહએ આકાશને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ડૉ.શાહે ડોનેટ લાઇફની આણંદ ટીમના નિખિલ શાસ્ત્રી અને સુનિલ શાહનો સંપર્ક કરી આકાશના બ્રેઇનડેડ અંગે જાણ કરી હતી. બાદ ડોનેટ લાઇફના ટ્રષ્ટી પ્રકાશ પટેલ સહિતના સભ્યોએ કરમસદ મેડિકલ સ્સ્પિટલ ખાતે પહોંચી ડૉ.જીતેશ દેસાઇ સાથે રહીને આકાશના દાદા વાઘજીભાઇ, દાદી શારદાબેન, ફુવા દેવેન્દ્રભાઇ, ચિમનભાઇ તેમજ પરિવારના સભ્યો સાથે અંગદાનના મહત્વ અંગે ચર્ચા કરી હતી. બન્ને કિડની અને લીવર અમદાવાદની આઇકેડીઆરસીને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલ બે કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાત દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસીમાં કરવામાં આવશે. જ્યારે ચક્ષુઓનું દાન કરમસદ મેડિકલે સ્વિકાર્યુ છે. કિડની અને લીવર સમયસર અમદાવાદ પહોંચાડવા કરમસદ મેડિકલથી અમદાવાદ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસ તેમજ માર્ગમાં આવતા તમામ પોલીસના જવાનોએ સહકાર પુરો પાડયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: તારાપુરના પચે ગામમાંથી નકલી ડોક્ટર આખરે સકંજામાં આવ્યો
calendar_today September 4, 2026

Anand: તારાપુરના પચે ગામમાંથી નકલી ડોક્ટર આખરે સકંજામાં આવ્યો

તારાપુર તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરોનો ભય યથાવત છે. કાયદાની છટકબારીઓનો પૂરતો લાભ ઉઠાવીને વારંવાર ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરી દેતા એક જ બોગસ ડોક્ટરને અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રીજી વખત ઝડપી લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી વચ્ચે પશ્ચિમ બંગાળના ધોરણ-10 પાસ મિલટોન ઉર્ફે મિલન સાધુ નામના શખ્સે પચેગામમાં દરબારની ડેલીમાં આવેલા એક મકાનમાં ગેરકાયદે ક્લિનિક શરૂ કર્યું હતું. તારાપુર પોલીસ ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ખડા)ના મેડિકલ ઓફ્સિર ડો. આશિયાના સૈયદને સાથે રાખી દરોડો પાડયો હતો. સ્થળ પરથી એલોપેથીક સારવાર આપતો આ નકલી ડોક્ટર રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે રૂા.29,689/-ની કિંમતની એલોપેથીક દવાઓ જપ્ત કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963 મુજબ ગુનો નોંધ્યો છે. છેલ્લા માત્ર છ માસના ટૂંકા ગાળામાં તારાપુર તાલુકાના સાંઠથી બે, ટોલ, રીંઝા, મિલરામપુરા અને ખડામાંથી કુલ 7 જેટલા બોગસ ડોકટરો ઝડપાઈ ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ જાતની ડિગ્રી વગર આટલા બધા નકલી ડોકટરો લાંબા સમય સુધી દવાખાના ચલાવે છે, છતાં આરોગ્ય વિભાગની નજર કેમ નથી પડતી ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પકડાવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વગર સ્થળ બદલીને લોકોના જીવ સાથે રમત રમતાઆવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward