android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: ભંગાર માર્ગના પાપે મહિનામાં 20થી વધારે અકસ્માત
calendar_today September 4, 2026

Kheda: ભંગાર માર્ગના પાપે મહિનામાં 20થી વધારે અકસ્માત

મહેમિયાદના નેનપુરથી હલધરવાસ તરફ્ જતા માર્ગ પર ઘોડાલીના આંબલી પાટિયા પાસે છેલ્લા એક મહિનામાં 20થી વધુ અકસ્માતો સર્જાયા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રોડની ખસ્તાહાલ સ્થિતિને કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહનચાલકો અકસ્માતનો વધુ ભોગ બની રહ્યા છે. મહેમિયાદ તાલુકાના નેનપુર થી હલધરવાસ તરફ્ના ઘોડાલી ગામના આંબલી પાટિયા નજીકના સ્ટેટ હાઇવેનો રસ્તો ખુબજ ખરાબ હાલતમાં આવી ગયો છે. રોડ ઉપર જાણે આડી ગીસીઓ પડી ગઈ છે જેને કારણે એક તરફ્ના રોડનો સ્થાનિકો ઉપયોગ જારવાથી પણ બચે છે. આ રોડ ઉપર રોજના હજજારો વાહનોની આવન જાવન રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંબલી પાટિયા નજીકનો રસ્તો લાંબા સમયથી બિસમાર હાલતમાં હોવાથી સામાન્ય ઝડપે વાહન ચલાવવું પણ મુશકેલ બન્યું છે. 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન પસાર થાય ત્યારે વાહન ફ્ંગોળાઈ જવાની સ્થિતિ સર્જાય છે અને અચાનક સંતુલન ગુમાવતા અકસ્માત થાય છે. દ્વિચક્રી વાહનો ઉપરાંત ફોર વ્હીલર વાહનો પણ રોડની સાઈડમાં ઉતરી જવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માતોમાં લોકો ઈજાગ્રસ્ત થઈ હોસ્પિટલ સુધી પહોંચ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તેમ છતાં માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા રસ્તાની યોગ્ય મરામત કે પુનઃનિર્માણ માટે કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો સવાલ છે કે વધુ કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે કે શું ? તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી રસ્તાનું મજબૂત સમારકામ કરાવે અને અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ ગંભીર ક્ષતિ બહાર આવતાં કડક કાર્યવાહી
calendar_today September 4, 2026

Anand: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ ગંભીર ક્ષતિ બહાર આવતાં કડક કાર્યવાહી

આણંદ શહેરમાં મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર આવેલ સુખડીયા સ્વીટ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ ,ડન્ગીડમ્સ અને બેકરીમાં સ્વચ્છતાનો અભાવ, હાઇજેનિક સહિતના માપદંડો અને તપાસમાં એક્સપાયર્ડ ડેટ વગરની કેક, હેલ્થ સર્ટિફિકેટનો અભાવ સહિતના નિયમભંગ બદલ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ખાદ્ય એકમોમાં સ્વચ્છતાના ધોરણો અને ફુડ સેફ્ટીના નિયમોનું પાલન સહિતના મુદ્દે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણીતા એકમોમાં ગંબીર બેદરકારી સામે આવતા મનપાના આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બેકરીમાં રાખવામાં આવેલી કેક પર મેન્યુફેક્ચરીંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું માલુમ પડયુ હતું. જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે કાયદેસરના હેલ્થ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હતા. તદ્ઉપરાંત તપાસણી દરમિયાન સ્થળ પર ગંભીર અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો જણાઇ આવતા ટીમ દ્વારા તત્કાલિન અસરથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુખડીયા સ્વીટ એન્ડ ફરસાણ ખંભાતવાળાને સૌથી વધુ 25 હજારનો દંડ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ અને કભીબી બેકરી બન્ને એકમોને 10-10 હજારનો દંડ તેમજ ડન્ગીડમ્સ નામના એકમ પાસેથી નિયમોના ઉલંઘન બદલ 5 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: માણસાના બેંક મેનેજરની તિક્ષ્ણ હથિયારથી હત્યા
calendar_today September 4, 2026

Gandhinagar: માણસાના બેંક મેનેજરની તિક્ષ્ણ હથિયારથી હત્યા

માણસામાં ખાનગી ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા બાલવા ગામના યુવાનની પ્રાંતિજ પંથકમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ યુવાનની લાશ પ્રાંતિજના લીમકા તળાવ પાસેથી મળી આવી હતી. યુવાન પર ગળા અને પેટના ભાગે છરા જેવા તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. સ્થળ પરથી લોહિના ડાઘા સાથેની કાર પણ મળી આવી હતી. આ કારમાં જ યુવાનનું ઢીમઢાળીને તેની લાશને તળાવ પાસે ફેંકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથધરી છે.મૃતકની ઓળખ ભરત કાન્તીભાઇ ચૌધરી (ઉવ, 42) તરીકે થઇ છે. તે મુળ માણસા તાલુકાના બાલવા ગામનો રહિશ હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ભરત ચૌધરી માણસા ખાતે આવેલ IIFL નામની ફાઇનાન્સ બેંકમાં મેનેજર હતો. ગઇકાલે મોડીસાંજથી ભરત ચૌધરી ગુમ થયો હતો. તેની લાશ પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે આવેલ તળાવમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. મૃતકના ગળા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા. નજીકથી એક કાર નંબર જીજે.27.બી.એસ.9166 મળી આવી હતી. કારના બોનેટ અને અંદરના ભાગે પણ લોહિના નિશાન જોવા મળ્યા હતા. જેથી હત્યા કારની અંદર જ થઇ હોવાનું પોલીસનું અનુમાન છે. હત્યા બાદ ભરત ચૌધરીની લાશને તળાવમાં ફેંકીને હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી મળી આવેલી કાર ભરત ચૌધરી ચલાવી રહ્યો હતો. તેને દગો આપીને પાછળથી પ્રથમ ગળાના ભાગે છરાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. જે રીતે કારની સીટ અને બોનેટ પરથી લોહિના નિશાન મળી આવ્યા છે તે જોતા આ હુમલા બાદ તેણે કારનો દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવો જોઇએ. જોકે, પ્રથમ પ્રહારથી જ ઘાયલ થયેલા ભરત ચૌધરી પોતાનો જીવ બચાવી શક્યો નહતો. હત્યારાઓએ તેના પેટના ભાગે પણ છરા જેવા હથિયારથી પણ ઘા ઝીંક્યા હતા. હત્યા બાદ લાશને ઠેકાણે પાડવાનો પ્લાન હતો. કારને લિમકા ગામે લઇ જવામાં આવી હતી.આ વિસ્તારમાં સાબરમતી નદીના કોતરો આવેલા છે. અતરિયાળ સ્થળે લાશનો નિકાલ કરવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, કારમાંથી પોલીસને મૃતક ભરત ચૌધરીના મોબાઇલની સાથે અન્ય એક મોબાઇલ પણ મળી આવ્યો હતો. જેમાં તેણે છેલ્લે એક યુવતી સાથે વાત થઇ હોવાનું મનાઇ રહ્યુ છે. સ્થળ પરથી મળી આવેલી કાર પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવાની એક મહત્વપુર્ણ કડી સાબિત થશે. આ કાર ભરત ચૌધરીની નથી. જેના કારણે જેણે હત્યા કરી હોય તે શખસની આ કાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ભરત ચૌધરી ઉપરોક્ત કારમાં તેના માણસા ખાતે રહેતા એક મિત્ર સાથે ગયો હોવાની ચર્ચા છે. ભરત ચૌધરી અને તેના મિત્રની સાથે એક યુવતી પણ હોવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુસુધી કોઇ સત્તાવાર સમર્થન મળતુ નથી. પોલીસે હત્યારાઓની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માણસાથી બનાવ સ્થળ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની તજવીજ હાથધરી છે. હત્યા પાછળ હજુસુધી કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી. પોલીસ પ્રેમપ્રકરણ, વેરઝેર, અદાવત સહિતની અલગ અલગ થિયરી પર તપાસ હાથધરી છે. આ મામલે આજરોજ પ્રાંતિજ પોલીસ મથકમાં બીએનએસ કલમ 103 (1) તથા અન્ય કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પીઆઇ ડી.આર. પઢેરીયાએ જણાવ્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward