android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawarના અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય...
calendar_today January 29, 2026

Ajit Pawarના અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય...

બારામતી ખાતે રાજકીય સન્માન સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના અંતિમ સંસ્કાર થશે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. આજે અજિત પવારની અંતિમ યાત્રા છે. વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય નેતા, અજીત પવારના સમર્થકો સહિત બોલીવુડ સેલેબ્સ પણ અજીત પવારને અંતિમ વિદાય આપવા વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા છે. 

Read Full Story arrow_forward
Ajit Pawar Funeral: રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર, ભાવુક વિદાય
calendar_today January 29, 2026

Ajit Pawar Funeral: રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર, ભાવુક વિદાય

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે 28 જાન્યુઆરીના રોજ એક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લેન્ડિંગ દરમિયાન જ ક્રેશ થઇ ગયું. જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવના મોત થયા. . આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી અલવિદા અજિત દાદા ત્યારે બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજિત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  આ દુઃખની ઘડીમાં અમિત શાહ, ડેસીએમ એકનાથ શિંદે, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત નીતિન ગડકરી, પ્રમોદ સાવંત, ઉદ્ધવ ઠાકરે, રાજઠાકરે, સહિત રાજકીય દિગ્ગજો અંતિમ દર્શનાથે પહોંચ્યા હતા.  ભારે જનમેદની ઉમટી, તિરંગામાં લપેટાયો નશ્વર દેહ અજિત દાદાને અંતિમ વિદાય આપવા માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અજિત દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે.  અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. ત્રિરંગામાં લપેટાયેલા, નાયબ મુખ્યમંત્રીના  નશ્વર દેહને  અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં ખાતે લવાયો હતો. પુત્રએ આપી મુખાગ્નિ એનસીપી નેતા અજિત પવાર પાંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના પુત્રો પાર્થ પવાર અને જયે ચિતાને અગ્નિદાહ આપ્યો. આ દિગ્ગજોએ અંતિમ સંસ્કારમાં આપી હાજરી અભિનેતા રિતેશ દેશમુખે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.  વરિષ્ઠ નેતાઓની યાદીમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward
અજીત પવાર અંતિમ સંસ્કાર, પુત્રોએ આપી મુખાગ્નિ, પત્ની સુનેત્રા પવારે આંખમા આંસુ સાથે ભારે હૃદયે પતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપી
calendar_today January 29, 2026

અજીત પવાર અંતિમ સંસ્કાર, પુત્રોએ આપી મુખાગ્નિ, પત્ની સુનેત્રા પવારે આંખમા આંસુ સાથે ભારે હૃદયે પતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

અજિત પવારના અંતિમ સંસ્કાર તેમના રાજકીય ગઢ બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારનું નિધન થયું હતું. આજે 29 જાન્યુઆરીના દિવસે અજિત પવારની અંતિમ યાત્રા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.

Read Full Story arrow_forward