android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ
calendar_today January 22, 2026

Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવક કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના સગા ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘરકંકાસ કે અંગત કારણોસર બનેલી ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.NRI ટાવર હત્યા-આપઘાત કેસ આ કરુણ દુર્ઘટના બાદ બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવના સમાચાર મળતા જ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે એફએસએલ (FSL) ની મદદ પણ લઈ રહી છે જેથી હત્યા અને આપઘાત પાછળના સચોટ કારણો જાણી શકાય. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પડોશીઓ અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad માં ગંદકી કરનારાઓ પર AMCની તવાઈ, નારણપુરામાં કે.બી. શાહ દવાનું ગોડાઉન સીલ

Read Full Story arrow_forward
Surat : તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી થવાના કેસમાં પકડાયેલા 8 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે, અન્ય આરોપીઓની શોધખોળ
calendar_today January 22, 2026

Surat : તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી થવાના કેસમાં પકડાયેલા 8 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે, અન્ય આરોપીઓની શોધખોળ

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરો સહિત 8 આરોપીની પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. હવે સમગ્ર મામલાની ઉંડી તપાસ શરુ કરાઇ છે.આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે પોલીસ દ્વારા ઝડપાયેલા આઠ આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને પોલીસ તમામના રિમાન્ડ માટે અરજી કરશે.  સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ મામલાની તપાસમાં માંડવી ડીવાયએસપી આગળ વધી રહ્યા છે અને અન્ય સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે. આ આરોપીઓની થશે પૂછપરછ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં કંપની માલિક બાબુ અંબાલાલ પટેલ, જસ્મીન બાબુ પટેલ તેમજ કાર્યપાલક ઈજનેર અંકિત ગરાસિયા અને નાયબ કાર્યપાલક ઈજનેર અંકિત ચૌધરીનો સમાવેશ છે..આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Gir Somnath News: શિકારની શોધમાં નીકળ્યો દીપડો, જુઓ Video
calendar_today January 22, 2026

Gir Somnath News: શિકારની શોધમાં નીકળ્યો દીપડો, જુઓ Video

ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીરના જંગલની સરહદે આવેલા ઉના તાલુકાના ગામડાઓમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતો જઈ રહ્યો છે. ત્યારે ઉનાના પાતાપુર ગામમાં ગત રાત્રે એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની આ લટાર ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.સીસીટીવીમાં કેદ થઈ લાઇવ લટાર પાતાપુર ગામમાં ગત રાત્રીએ અંદાજે 11:40 વાગ્યાની આસપાસ એક કદાવર દીપડો શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ગામની શેરીઓમાં નિર્ભય બનીને ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં દેખાતા જ સવારે આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પાતાપુર ગામ વન્ય પ્રાણીઓના રહેઠાણ તરીકે જાણીતું છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીથી હવે પશુપાલકો અને સ્થાનિકો ચિંતિત બન્યા છે. 68 સીસીટીવી કેમેરાથી સજ્જ ગામ ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં 68 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સુરક્ષા પ્રણાલીને કારણે જ દીપડાની હિલચાલ જાણી શકાઈ છે. ગ્રામ પંચાયતના આ સાવચેતીના પગલાંને કારણે રાત્રિના સમયે ગામમાં શું હિલચાલ થાય છે, તેની ચોકસાઈ રાખવામાં સરળતા રહે છે.https://x.com/sandeshnews/status/2014185311857983791 વન વિભાગને જાણ કરવાની તજવીજ દીપડો ગામમાં દેખાતા જ સ્થાનિકો દ્વારા વન વિભાગને પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવા માટે માગ કરવામાં આવી છે. રાત્રિના સમયે વાડી-ખેતરે જતા ખેડૂતોમાં પણ હવે વન્ય પ્રાણીના હુમલાનો ડર સતાવી રહ્યો છે. આ પણ વાંચો - Gir Somnath News: તાલાલામાં યુવક અને સગીરાએ જીવન ટૂંકાવ્યું, પ્રેમ સંબંધની આશંકા

Read Full Story arrow_forward