android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: ચરોતર : ઠંડીનો મિજાજ નરમ પડયો દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ
calendar_today January 21, 2026

Anand: ચરોતર : ઠંડીનો મિજાજ નરમ પડયો દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ

ચરોતરમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે પારો ઉચકાતા પવનોની દિશા પરિવર્તન થઇને શીતલહેરો સ્થિર થતાં ઠંડીનો મિજાજ નરમ પડયો છે. જેને લઇને દિવસે ગરમી અનુભવાતી રહેતા તીવ્ર ઠંડીથી રહીશોને રાહત વ્યાપી છે.ત્યારે આગામી દિવસોમા તાપમાન પુનઃ ગગડતા ચરોતરમા ઠંડીનો કાતિલ મિજાજ પ્રગટ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આણંદ-ખેડા જિલ્લો પખવાડિયા પુર્વે નીચા ઉષ્ણતામાનને લઇને ગાત્રો થીજાવતી ઠંડીના આગોશમા સપડાતા રહીશોને શીતળઋતુમા સૌ પ્રથમ વખત શિયાળાના કાતિલ મિજાજની અનુભુતિ વર્તાઇ હતી. તીવ્ર ઠંડીના કહેરને ખાળવા રહીશોેન સમીસાંજથી જ રહેઠાણ સ્થળોમા પુરાઇ રહેવાની ફરજ પડવા ઉપરાંત હિટરની સુવિદ્યા ધરાવતા પરિવારો દ્વારા હિટરના સહારે શરીરમાં ઉષ્ણતા ભરવાના પ્રયાસો કરવામા આવ્યા હતા. ત્યારેન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની અસરોનેકારણેછેલ્લા ત્રણ દિવસથી તાપમાન આંશિક ઉચકાઇવા સહિત ઉત્તર તરફથી વહેતી બર્ફિલા પવનોની દિશા સ્થિર થતાં દિવસ તેમજ રાત્રિ દરમિયાન પણ આંશિક ગરમીની અનુભુતિ વર્તાઇ રહી છે. ઠંડીનુ જોર નરમ પડતા નવજાત શિશુઓ, બાળકો, વયોવૃદ્ધો, વિવિધ બમારીના દર્દીઓમાં રાહત વ્યાપી છે. જોકે સિસ્ટમ પુર્ણ થયા બાદ પુનઃ ઉષ્ણતામાન ગગડતા ચરોતર પ્રદેશમા કાતિલ શીતલહેર ફરી વળવાની આગાહી વ્યક્ત કરાઇ છે. સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયો માહોલ રચાવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કન્ટેનરની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું
calendar_today January 21, 2026

Anand: કન્ટેનરની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું

આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં રસ્તાઓ પર યમદૂત સમાન વાહનોનો ત્રાસ યથાવત રહ્યો છે. ભાલેજથી જાખલ જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાઈક સવાર પોતાની બાઈક પર એક મહિલા સાથે ભાલેજથી જાખલ તરફ્ જઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવી રહેલા એક કન્ટેનર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના લોહીના ખાબોચિયા ભરાઈ જતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાઈક પર પાછળ બેઠેલા મહિલાને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તુરંત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા જ ભાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ્ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડને વિખેરીને ટ્રાફ્કિ ક્લિયર કરાવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, અકસ્માતનો ગુનો દાખલ કરી કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: વડતાલમાં સમૈયો-200મી શિક્ષાપત્રી જયંતીનો પ્રારંભ
calendar_today January 21, 2026

Nadiad: વડતાલમાં સમૈયો-200મી શિક્ષાપત્રી જયંતીનો પ્રારંભ

 સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બુધવારથી વસંતપંચમી સમૈયો તથા 200મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે.આ ત્રિ દિવસીય મહોત્સવ અંતર્ગત બુધવારે સવારે ગોમતી કિનારેથી શિક્ષાપત્રીની પોથીયાત્રા વાજતે ગાજતે મંદિરના સભામંડપમાં પહોચી હતી. મહોત્સવના વકતા મંદિરના ચેરમેન સંતવલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી અને નારાયણચરણદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. કથાના પ્રથમ દિવસે વકતા ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ શ્રીહરિમંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. ભગવાન શ્રીહરિના વાંગમ્ય સ્વરૂપ એટલે શિક્ષાપત્રીનું જે કોઇ સત્સંગી પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખિયા થશે. શ્રીહરિ કહેલ કે જેકોઇ આ શિક્ષાપત્રીનું પાલન કરશે તે અમારા છે.તેમ અમો જાણીશું. જયારે કોઇ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરશે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. 212 શ્લોક વાળી શિક્ષાપત્રીનું અંગ્રેજ અધિકારી ડનલોપ શ્રીજીમહારાજના બે વર્તમાન પાળતાં હતા. 1 જેમાં કોઇ ચોરી કરે તેને પકડી શિક્ષા કતાં તથા જે કોઇ વ્યકિત હિંસા કરે તો પ્રતિષ્ઠિત મનુષ્ય હોય કે પછી ધનવાન હોય રણ મહોબ્બત રાખ્યા વિના શિક્ષા કરતાં હતાં આ પ્રસંગે નૌતમ સ્વામી વિશ્વવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામી સહિત સંતો તથા મહોત્સવના યજમાન ઘનશ્યામભાઇ અંબાલાલ પટેલ (પીજ) તેમના પુત્ર અક્ષર સહિત પરિવારના સભ્યો , મંદિરના ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં સત્સંગી ભાઇઓ , બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૈયાની પૂર્ણાહુતિ તા. 23 મીનારોજ યોજાશે. મંદિરમાં યોજાઇ રહેલી કથાનો સમય સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન યોજાશે. આ ઉત્સવને લઇને વ્યાખ્યાન માળામાં નારાયણચરણ સ્વામીએ એકાદશી મહિમા વિશે કથાનું રસપાન કરાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward