android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoda: હાલિસા-ધણપ રોડ પર રીક્ષા ટ્રોલી પાછળ ઘૂસી જતાં એકનું મોત
calendar_today January 11, 2026

Dabhoda: હાલિસા-ધણપ રોડ પર રીક્ષા ટ્રોલી પાછળ ઘૂસી જતાં એકનું મોત

ગાંધીનગરના હાલિસાથી ધણપ તરફ જતા રોડ ઉપર એક અકસ્માતમાં મજુરો ભરેલી પેસેન્જર રીક્ષા રોડ નજીક ઉભા રહેલી ટ્રોલી પાછળ પુરઝડપે ઘુસી જતા રીક્ષામાં સવાર એક ઇસમનુ મોત નિપજ્યુ હતુ તેમજ ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલે મળતી વિગતો મુજબ અનિલ રમેશભાઇ દેવિપુજક (ઉ.વ. 32, રહે. હાલિસા તા. દહેગામ) છુટક મજુરીકામ કરીને પરીવારનુ ગુજરાન કરતા હતા. અનિલ દેવીપુજક શનીવારે સવારે આઠેક વાગ્યે મજુરીકામે જવા માટે દશેલા ખાતે જના નીકળ્યા હતા. સાથે ફળીયાના અન્ય માણસો પણ મજુરીકામે સાથે નીકળ્યા હતા. રીક્ષા લઇને તમામ લોકો મજુરીકામે ગયા હતા. દરમિયાન સાંજે સાતેક વાગ્યે પરત ઘરે ફરતા હતા ત્યારે હાલિસાથી ધણપ રોડ પર આવેલા કિરણભાઇ સોમાભાઇ પટેલના બોરકુવા પાસે રીક્ષાને અકસ્માત થયો હતો. બોરકુવાની સામે રોડની સાઇડમાં એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભુ હતુ ત્યારે રીક્ષાના ચાલકે પુરઝડપે રીક્ષાને ટ્રોલી પાછળ ઘુસાડી દીધી હતી અને ગમખ્વાર અકસ્માત કર્યો હતો. રીક્ષામાં સવાર તમામ લોકો ફસાતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ બહાર કાઢયા હતા. અકસ્માતમાં અનિલ, પ્રકાશ ઇશ્વરભાઇ દેવિપુજકને શરીરે ઇજાઓ થતા તેમને 108 દ્વારા ગાંધીનગર સિવિલમાં દાખલ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન અનિલ દેવિપુજકને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આમ રીક્ષા નંબર જીજે.18. બીવાય. 5259 ને પુરઝડપે બેદરકારીથી ચલાવી ટ્રોલી પાછળ અકસ્માત કરનારા રીક્ષા ચાલક સામે ચિલોડા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરમાંથી ટાઈફોઈડના નવા દસ કેસ નોંધાયા : વધુ પાંચ લિકેઝ મળી આવ્યા
calendar_today January 11, 2026

Gandhinagar: શહેરમાંથી ટાઈફોઈડના નવા દસ કેસ નોંધાયા : વધુ પાંચ લિકેઝ મળી આવ્યા

xઆજે ગાંધીનગરમાં ટાઈફોઈડના નવા દસ કેસ નોંધાયા હતા. આ સાથે ટાઈફોઈડના કેસોનો આંક 200ને પાર થઈ જવા પામ્યો છે. આજેપણ આદિવાડા તથા સેક્ટર-28 જીઆઈડીસી વિસ્તારમાં વધુ પાંચ લીકેજ મળ્યા હતા. લીકેજ હજપુણ મળી રહ્યા છે, જેને તંત્રએ ગંભીરતાથી લીધું છે. આ લીકેજ કયા કારણોસર થઈ રહ્યા છે તેની પણ તપાસમાં તંત્ર લાગ્યું છે.આદિવાડા તથા સેક્ટર-28 જીઆઈડીસી વિસ્તાર, સે-24 ઈન્દિરાનગર સહિતના વિસ્તારમાં ક્રોસ કનેકશન પણ ઘણા આવેલા છે. જે સમસ્યા સર્જી રહ્યા છે. જોકે હજુપણ તંત્ર ટાઈફોઈડના કેસો જે વિસ્તારમાંથી મળી રહયા છે તે વિસ્તારમાં લીકેજ શોધવાનો પ્રયાસ કરે છે. આ વખતે તંત્ર જ્યાં જ્યાં ભૂતિયા કનેક્શનો જોવા મળશે તેને બંધ કરવાની પણ તજવીજ હાથ ધરશે. એટલું જ નહિ જે લોકો ગેરકાયદે કનેક્શન લેવાની કોશિશ કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું પણ આયોજન હાથ ધરશે. ઘણી જગ્યાએ એવી પણ ચોંકાવનારી બાબતો સામે આવી છે કે, લોકોએ મુખ્ય લાઈનમાંથી જ બારોબાર ગેરકાયદે કનેક્શનો લઈ લીધા છે. આ જુની લાઈનો જર્જરિત થઈ જવાથી પ્રેશર સહન કરી શકે તેમ નથી. એટલું જ નહિ જ્યાં નવી લાઈન નાંખવામાં આવી છે તેમાં પણ સમસ્યા છે. જોકે લીકેઝને શોધી કાઢવા માટે તંત્રએ યુધ્ધના ધોરણે સર્વે હાથ ધર્યું છે. આ લીકેઝોને ઝડપથી રિપેર કરીને રોગચાળાને આગળ વધતું રોકવાનો પ્રયાસ હાથ ધર્યો છે. છતાં સિવીલમાં હજુપણ 70 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે વધુ 13 દર્દીઓને રજા અપાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને હજુપણ ઉકાળેલું પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. ક્લોરીનની ગોળીઓનુ પણ વિતરણ ચાલુ છે. આજે પણ વધુ 585 ક્લોરીન ટેસ્ટ કરાવ્યા હતા. પાણીનું સુપર ક્લોરીનેશન પણ ચાલુ રખાયું છે. પાણીના સેમ્પલ પણ લેવાનું ચાલુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol: કાલોલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય પ્રાંત બેઠક
calendar_today January 11, 2026

Kalol: કાલોલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય પ્રાંત બેઠક

કાલોલ ખાતે આયોજીત વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય પ્રાંત બેઠકનું સમાપન થયુ હતું. આ બેઠકમાં 22 જિલ્લાના 200થી વધુ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.વિશ્વ હિન્દૂ પરિષદની કેન્દ્રીય બેઠક બાદ આગામી કાર્યની યોજના અને આયામના કાર્ય વિસ્તાર હેતુ સામુહિક વિચાર અને આયોજન માટે દક્ષિણ ગુજરાત પ્રાંત બેઠકનું આયોજન પંચમહાલ જિલ્લામાં પ્રથમ વાર થયુ હતું. કાલોલ તાલુકના મલાવ સ્થિત પ.પૂ. રાજર્ષિ મુનિજીના પાવન આશ્રમ કૃપાલુ આશ્રમમાં સફ્ળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠક બે દિવસ સુધી ચાલી જેમાં વિવિધ સત્રોમાં પરિષદની કાર્ય પ્રણાલી, પરિષદના થયેલા કર્યો તથા આગામી સમયની યોજનાની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું. 22થી વધુ જિલ્લાની આ બેઠકમાં 200 જેટલા સક્રિય કાર્યકર્તાઓએ ચિંતન વિમર્શ કર્યો હતો.  આ બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી ગોપાલજી, ક્ષેત્રીય મંત્રી અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રીય સંગઠન મંત્રી રંગરાજેજી,પ્રાંત મંત્રી રાજેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેઓને ઉપસ્થિત કાર્યકરોએ સમર્ધન આપ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward