android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: સમય-નાણાંની બચત । દેલવાડા રૂપેણ પુલ પરથી 16મી જાન્યુ.થી એસ.ટી.બસો પસાર થઈ શકશે
calendar_today January 9, 2026

Mehsana: સમય-નાણાંની બચત । દેલવાડા રૂપેણ પુલ પરથી 16મી જાન્યુ.થી એસ.ટી.બસો પસાર થઈ શકશે

બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ પાસે રૂપેણ નદીના જર્જરિત જૂના પુલને કારણે છેલ્લા 6 મહિનાથી ભારે મુશ્કેલીઓ સહન કરતી પ્રજા અને એસટી વાહનચાલકોને આખરે રાહતની મોટી ખબર મળી છે. રૂપેણ નદી પર બાંધાયેલા નવા દ્વિમાર્ગીય પુલની કામગીરી પૂર્ણતા તરફ્ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રો અનુસાર, આગામી 16 જાન્યુઆરીથી આ પુલ પરથી એસટી બસ સહિત તમામ પ્રકારના વાહનોનો વ્યવહાર શરૂ થઈ જશે. આ પગલાથી લાંબા ડાયવર્ઝન અને ખરાબ રસ્તાઓની મુશ્કેલીઓથી છુટકારો મળશે.દેલવાડા ગામે રૂપેણ નદી પરનો જૂનો પુલ જર્જરિત થઈ જતાં જુલાઈ 2025માં એસટી બસ સહિત ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના પગલે તમામ વાહનોને વાયા કાલરી, બલોલ અને મોટપના માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનને કારણે મહેસાણા, ચાણસમા અને પાટણ જેવા વિસ્તારોમાંથી એસટી વ્યવહાર વાયા શંખલપુર, આદીવાડા અને મોઢેરા થઈને ચલાવવો પડયો હતો. લાંબા રસ્તાને કારણે યાત્રિકોને વધારાના સમય અને ખર્ચની મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ઉપરાંત, પાલાવાસણાથી કાલરી સુધીના ફોરલેન હાઈવેનું કામ શરૂ થતાં અને ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ નામશેષ થઈ જતાં ભારે વાહનો માટે નીકળવું તો ધોળા દિવસે તારા જોવા જેવું મુશ્કેલ બન્યું હતું.પણ ટુ-વ્હીલર લઈને નીકળવું પણ જોખમી બની ગયું હતું. પરિણામે, મહેસાણા, ચાણસ્મા અને પાટણનો એસટી વ્યવહાર વાયા શંખલપુર, આદીવાડા, મોઢેરા થઈને શરૂ થયો હતો. એસટી શરૂ થતાં, રેતી માફીયાઓ પણ ડમ્પર સહિતનાં ઓવરલોડ વાહનોઆ રોડથી લઈને નીકળવા લાગતાં આ રોડને પણ ભારે નુકસાન થયું છે.પરિણામે છેલ્લા 6 મહિનાથી રોડની સમસ્યાને લઈ હેરાન થતી પ્રજાને હવે દેલવાડા નવો પુલ શરૂ થતાં રાહત મળવાની આશા જન્મી છે. છેલ્લા સાતથી આઠ મહિનામાં આ રોડની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક પ્રજા હેરાન થતી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: તલવારબાજીમાં 4 દીકરીએ 33 વર્ષ બાદ ગુજરાતને નેશનલ લેવલે બ્રોન્ઝ અપાવ્યો
calendar_today January 9, 2026

Himatnagar: તલવારબાજીમાં 4 દીકરીએ 33 વર્ષ બાદ ગુજરાતને નેશનલ લેવલે બ્રોન્ઝ અપાવ્યો

ગુજરાતના રમત-ગમત ક્ષેત્રે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઓરિસ્સાના કટક ખાતે તાજેતરમાં યોજાયેલ 33મી જુનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતની ટીમની દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતને આ સફળતા પૂરા 33 વર્ષ પછી ચાર મહિલા ખેલાડીઓએ મેદાન મારી ગુજરાતનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ અંગેની વિગત એવી છે કે, ઓરિસ્સાના કટક ખાતે યોજાયેલ 33મી જુનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં હિંમતનગરની ભક્તિ પટેલ સહિત ચાર પ્રતિભાશાળી ખેલાડીઓ અમીષા ચૌધરી, હિમાંશી ચૌધરી અને સિદ્ધિ ચૌધરીનો સિંહફાળો રહ્યો છે. આ ચારેય ખેલાડીઓએ પોતાની કુશળતા અને સખત મહેનતના જોરે રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશીપનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખૂણેખૂણેથી પ્રતિભાશાળી જુનિયર તલવારબાજોને પ્રોત્સાહન આપવાનો અને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ખેલાડીઓ તૈયાર કરવાનો છે. આ સ્પર્ધામાં ભારતભરના વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રમતનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રયાસોને કારણે ફેન્સિંગ (તલવારબાજી) જેવી રમતોમાં ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે, જેનું પરિણામ આ મેડલ સ્વરૂપે જોવા મળ્યું છે. ભક્તિ પટેલના પિતા જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માટે આ સતત બીજી મોટી સફળતા છે. અગાઉ નવેમ્બર-2025માં દિલ્હી ખાતે યોજાયેલી સિનિયર ચેમ્પિયનશિપમાં પણ 36 વર્ષ બાદ મેડલ આવ્યો હતો, અને હવે જુનિયર ટીમની આ દીકરીઓએ 33 વર્ષનો દુકાળ ખતમ કર્યો છે. આ જીત માત્ર આ ચાર દીકરીઓની નથી, પણ સમગ્ર્ર ગુજરાતના રમત જગત માટે એક નવી આશા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવ રંગેચંગે ઊજવાયો
calendar_today January 9, 2026

Aravalli: અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવ રંગેચંગે ઊજવાયો

અરવલ્લી જિલ્લાની રમણીય ગિરીમાળાઓ સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચગે શુભારંભ થયો હતો. નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જ્યારે બીજા દિવસે ખ્યાતનામ કલાકાર કિંજલ દવેએ બધાને ભક્તિના રંગમાં રંગ્યા હતા. માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મહોત્સવમાં કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ,નિવાસી અધિકારી કલેકટર ડી.વી.મકવાણા, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward