Panchmahal:ઉત્તરાયણને લઇ બોડેલી ખાતે કરુણા અભિયાન બેઠક યોજાઇ
બોડેલી વન વિભાગ દ્વારા NGO તથા પશુ ચિકિત્સકની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનો માટે કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજી વિસ્તૃત માહિતી અપાઇ હતી. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પતંગ ન ઉડાડવા સૂચનો કરાયા હતા. રાત્રિ દરમિયાન ફ્ટાકડા ફોડવા તેમજ તુક્કલ ન ઉડાડવા જણાવાયું હતું.ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગના દોરામાં મૂંગા પક્ષીઓ ભેરવાઈ જતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. આવા ઇજા ગ્રસ્ત પક્ષીઓની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી બોડેલી વનવિભાગ દ્વારા નગરજનોને એકત્રિત કરી મહત્વની ચર્ચા કરાઇ હતી. બોડેલી વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક અને NGOની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનોને સાથે રાખી કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમા ઇજાગ્રસ્ત પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ, તેમજ વનવિભાગ અથવા પશુ દવાખાનાનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી. વનવિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરાઇ હતી કે, ઉતારાયણ દરમિયાન શક્ય તેટલી સાવચેતી રાખી પતંગ ઉડાડે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા અને કોઈપણ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરે. આ અભિયાન દ્વારા પક્ષી સંરક્ષણ અને માનવ સંવેદનશીલતાનો સશક્ત સંદેશ અપાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward