android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: વડાપ્રધાન રવિવારે મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે
calendar_today January 9, 2026

Gandhinagar: વડાપ્રધાન રવિવારે મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે

ગાંધીનગર પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારના રોજ મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. તેમની સાથે મહેમાન તરીકે પધારેલા જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ મેટ્રોરેલ ફેઝ-2નું કામ પુર્ણ થયુ છે. વડાપ્રધાનની લીલીઝંડી બાદ મેટ્રોરેલ છેક અમદાવાદથી ગાંધીનગરના અંતિમ સ્ટેશન મહાત્મામંદિર સુધી દોડશે. હાલ મેટ્રોરેલ સચિવાલય સ્ટેશન સુધી આવે છે. જ્યારે ત્યાંથી અક્ષરધામ, જુના સચિવાલય , સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર સ્ટેશનનું કામ ચાલતુ હોય આ સ્ટેશનોને મેટ્રોનો લાભ મળતો નહતો. જોકે બાકી રહેલા આ સ્ટેશનોના કામ પુર્ણ થયા છે. રૂટ પર મેટેટ્રેન દોડાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તાજેતરમાં જ મેટ્રોના ઉચ્ચઅધિકારીઓએ બાકી રહેલા રૂટ પર ટ્રાયલ રન પણ યોજી હતી. દરમિયાન આગામી 11થી 12મી જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પધારવાના હોય તેમના હસ્તે મેટ્રોરેલને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.વડાપ્રધાન રવિવારે સાંજે મહાત્મા મંદિર સ્ટેશન ખાતેથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. આ સાથે જ ગાંધીનગરથી છેક અમદાવાદના અંતિમ સ્ટેશન સુધી લોકોને મેટ્રોરેલનો લાભ મળશે. અત્યાર સુધી સચિવાલય સુધી દોડતી મેટ્રોરેલ આ સાથે જ મહાત્મા મંદિર સુધી દોડશે. વચ્ચે આવતા ઉપરોક્ત સ્ટેશનોને આ નિમિત્તે શણગારવામાં આવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: સિંહોલ પ્રાથમિક શાળામાં કલેક્ટરની સરપ્રાઈઝ મુલાકાતથી દોડધામ મચી
calendar_today January 9, 2026

Anand: સિંહોલ પ્રાથમિક શાળામાં કલેક્ટરની સરપ્રાઈઝ મુલાકાતથી દોડધામ મચી

આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન કલેક્ટરે ધોરણ 1 થી 5 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓે દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નિહાળી હતી. આ સમયે કલેક્ટરે શાળાની સાફસફાઇ, વર્ગખંડ, મેદાન, મધ્યાહન ભોજન કેન્દ્ર, વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યની ચકાસણી ચેક કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે મુશ્કેલી પડે છે કે કેમ તે મુદ્દે પણ વિસ્તૃત વિગતો મેળવી હતી. ત્યાર બાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકોને અપાતા પુર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ અને પોષણ ટ્રેકર મુજબ બાળકોના વજન-ઉંચાઇનું ક્રોસ વેરીફીકેશન કરી બાળકોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: સિહુંજમાં ઝેરી કેમિકલ ઠાલવનાર ટેન્કર ચાલક સામે આખરે ફરિયાદ
calendar_today January 9, 2026

Nadiad: સિહુંજમાં ઝેરી કેમિકલ ઠાલવનાર ટેન્કર ચાલક સામે આખરે ફરિયાદ

મહેમદાવાદના સિહુંજ રોડ પર અઠવાડિયા અગાઉ એક ટેન્કર ચાલકે માનવ અને પશુજીવન તથા વનસ્પતિ માટે ખતરારુપ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી ગટરમાં અને વહેરાના વહેતા પાણીમાં ઠાલવ્યું હતું. જે મામલે પોલીસ, એફએસએલ અને જીપીસીબીની ટીમની તપાસ બાદ ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મહેમદાવાદના સિહુંજમાં યુપી સુલતાનપુરના અઝહરઅહમદ તૌફીકઅહમદ અંસારીએ ગત તા.2 જાન્યુઆરી 2026ની રાત્રે ટેન્કરમાં કેટલુક કેમિકલ જાનવી કંપની સિહુંજમાંથી ભરી સિહુંજથી સુંઢા વણસોલ રોડ પર રાખ્યું હતું. બાદમાં સિહુંજમાં દિલીપભાઈ તળશીભાઈ પટેલના ખેતરની સામે આવેલ રોડની સાઈડમાં કાયમી પાણીના નિકાલની ગટરમાં તેમજ મલકાણા વહેરાના વહેતા પાણીમાં કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી ખાલી કર્યાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જે આધારે પોલીસે સ્થળ પર પહોંચી મામલાની તપાસ કરી હતી. અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી તથા એફ.એસ.એલ. મારફતે પણ સ્થળ પર તપાસ કરાવી હતી. જેમાં ડ્્રાઈવરે કોઈ કંપનીમાંથી જમીનની ફળદ્રુપતા, વનસ્પતિ અને પર્યાવરણને નુકશાન પહોંચે અને માનવ તથા પશુઓના સ્વાસ્થયને હાનિ પહોંચે, હવાને દુષિત કરે તેવું ઝેરી રાસાયણિક પ્રવાહી 20હજાર લિટર ટેન્કરમાં ભરીને લાવી, 10 હજાર લિટર જેટલા પ્રવાહીને ગેરકાયદેસર રીતે નિકાલ કરેલ હોવા મામલે મહેમદાવાદ પી.એસ.આઈ. ડી.બી.રાઓલે ટેન્કરના ચાલક અઝહરઅહમદ તૌફીકઅહમદ અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward