Surat: અલથાણમાં બિલ્ડરની મનમાની, પાલિકાની મંજૂરી વગર ખોદકામ, મોટી દૂર્ઘટનાની આશંકા વચ્ચે 200 પરિવારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
સુરતના અલથાણ વિસ્તારમાં ફરી એક વખત બિલ્ડરની બેદરકારી સામે આવી છે. કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના જ ખાડો ખોદી પેજમેન્ટનું કામ શરૂ કરી દીધું હતું.યોગી હાઈટ્સના રહેવાસી 200 પરિવારોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ ગેરકાયદેસર કામગીરી સામે યોગી હાઈટ્સના રહેવાસી 200 પરિવારોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટની ત્રણેય બાજુ મોટી હાઈરાઈઝ બિલ્ડીંગો આવેલી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ કામગીરી અટકાવી પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું કે બિલ્ડરને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. આથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ કામગીરી અટકાવી દીધી છે. બિલ્ડરને 7 દિવસની અંદર નોટિસનો ખુલાસો આપવા પણ સૂચના પાલિકાએ બિલ્ડરને 7 દિવસની અંદર નોટિસનો ખુલાસો આપવા પણ સૂચના આપી છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો----- Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ
Read Full Story arrow_forward