android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: પામોલીન, કપાસિયા, સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સિંગતેલ બનાવવાના કેસમાં 7વર્ષે મુદ્દામાલનો નાશ
calendar_today January 7, 2026

Surendranagar: પામોલીન, કપાસિયા, સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સિંગતેલ બનાવવાના કેસમાં 7વર્ષે મુદ્દામાલનો નાશ

સુરેન્દ્રનગર એલસીબી ટીમે વર્ષ 2018માં વઢવાણ જીઆઈડીસીમાં ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં રેડ કરી હતી. જેમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રૂ.4,32,600ના 309 તેલના ડબા જપ્ત કર્યા હતા. 7 વર્ષ બાદ સરકારી ખરાબામાં અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં 2018માં મોટાપાયે ડિસ્કો તેલનો કારોબાર ઝડપાયો હતો. 7 વર્ષ પહેલા ઝડપાયેલ આ તેલના મુદ્દામાલનો તા.7-1-26ના રોજ નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવી અન્ય કંપનીઓના લેબલ લગાવી પેકિંગ થતું હોવાની માહિતી મળતા રેડ કરી હતી. જેમાં ઝડપાયેલા અલકાપુરી ચોકમાં રહેતા અરવિંદ મદનલાલ ભુતડાની પોલીસે પુછપરછ કરતા ડિસ્કો તેલનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આથી પોલીસે મામલતદાર, ફુડ વિભાગને ટીમ સાથે બોલાવ્યા હતા. તપાસ કરતા તેલમાં એસેન્સ નાંખી મહારાણી, તીન એક્કા, આસોપાલવ, ગોકુળ, રાજધાની ગોલ્ડ, દુલારી, કાઠીયાવાડ, રજવાડી, રાધિકા, ગાયત્રી, કેશર કંપનીના સ્ટીકરો લગાવાતા હતા. પોલીસને મોટી માત્રામાં આ સ્ટીકરો પણ મળી આવ્યા હતા. અરવિંદ ભુતડાની પૂછપરછ કરાતા આ એસેન્સ બનાસકાંઠા જિલ્લાના ડીસાની ઓમપાર્ક સોસાયટીમાં રહેતા નીલેશ રતિલાલ ચોખાવાળાએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ એસેન્સ રૂ.7 હજારનું પ લીટર આવ્યું હતું. આથી પોલીસે પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાના ગુના સબબ અરવિંદ ભુતડા અને નીલેશ ચોખાવાળા સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને 309 તેલના ડબા કિંમત રૂ.4,32,600, એસન્સના 3 કેન કિંમત રૂ.21 હજાર, 2,891 તેલના ખાલી ડબા, 4500થી વધુ વિવિધ તેલની બ્રાન્ડના લેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: વિવાદ વકરતા GMC મેયર ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે
calendar_today January 7, 2026

Gandhinagar: વિવાદ વકરતા GMC મેયર ટીમ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે

વિવાદ વકરતાં હવે ગાંધીનગર કોર્પોરેશનની મેયર ટીમ ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે.ગઈકાલે મેયર-ડે.મેયર બપોર બાદ પરત આવી ગયા હતા, પરંતુ બાકીના જે ત્યાં રહી પડયા હતા તે લોકોને પણ પરત આવી જવાની સૂચના આપવામાં આવી હતી. જોકે કમિશનરની ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ પ્રથમ મેચમાં જ દર વખતની જેમ ધબડકો વાળ્યો હતો. ભાવનગરની કમિશનરની ટીમ સામે 50 રનથી આઉટ થઈ ગઈ હતી. ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોએ માઝા મૂકી છે તેવામાં મેયર મીરાબેન પટેલે ટીમ સાથે ભાવનગર પહોંચી જતાં વિવાદ વકર્યો હતો. ખાસ કરીને મેયર સહિતનાઓએ આપેલા સ્ટેટમેન્ટથી વિવાદ વધુ ઘેરો બનતો દેખાતા આખરે તમામને પરત આવી જવાની કડક સૂચના મળી હતી. મેયર ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં હવે ભાગ નહીં લે તેવી વિગતો છે. જોકે આજે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ભાવનગર કમિશનર અને ગાંધીનગર કમિશનરની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભાવનગર કમિશનરની ટીમ દ્વારા 200 રન કરવામાં આવ્યા હતા તેની સામે ગાંધીનગર કમિશનરની ટીમ 150 રનમાં ઘરભેગી થઈ ગઈ હતી. પહેલી જ મેચમાં ગાંધીનગર કમિશનરની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol: કલોલ પંચવટી વિસ્તારમાં ગંદા પાણીથી બાળકો બીમાર
calendar_today January 7, 2026

Kalol: કલોલ પંચવટી વિસ્તારમાં ગંદા પાણીથી બાળકો બીમાર

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ખતરો ઉભો થવા પામ્યો છે.અહીં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની શકયતાઓ ઉભી થઈ છે. નગરપાલિકા તંત્ર દોડી ગયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા બાદ બાળકો બીમાર પડવા લાગ્યા છે. ગાંધીનગરમાં દુષિત પાણીના કારણે ટાઈફોઈડના રોગચાળાએ ભરડો લીધો છે. અનેક લોકો આ રોગચાળામાં સપડાયા છે. નળ વાટે દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાયો હતો. ત્યારે આવી જ સ્થિતિનો કલોલ પર ખતરો તોળાઇ રહ્યો છે. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં ઔડા ગાર્ડન પાસે ગટરની લાઈનમાં ભંગાણ થતાં ગટરો ઉભરાવાની સમસ્યા સહિત નળ વાટે ગટરના પાણી આવતા હોવાની બુમરાડ ઉઠી છે. પંચવટી વિસ્તારમાં આવેલ શ્રીજી કૃપા સોસાયટીમાં નળ વાટે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અહી રોગચાળો ફેલાવવાની દહેશત વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દુષિત પાણીના કારણે કેટલાક બાળકો પણ બીમાર પડયા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા શુદ્ધ પાણીનો પુરવઠો પુરો પાડવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward