android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા
calendar_today January 8, 2026

Gir Somnath News : વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા

સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી. ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી. સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને આધુનિક વિકાસની નવી ક્ષિતિજો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે. તેમના દૂરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન, સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે. આજે સોમનાથ મંદિર એ પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતીક બનીને ઊભું છે. ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક પ્રોમેનાડ (વોક-વે): સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ટેકનોલોજી: ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસો થયા છે. સંરક્ષણ: દરિયાઈ ક્ષાર અને કાટથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો 

Read Full Story arrow_forward
Gandhinagar: સરગાસણના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.35.25 લાખ પડાવી લીધા
calendar_today January 7, 2026

Gandhinagar: સરગાસણના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.35.25 લાખ પડાવી લીધા

સરગાસણના એક વૃધ્ધને સાયબર ગઠિયાઓએ એક સપ્તાહ સુધી ડિઝીટલ એરેસ્ટ રાખી 35.25 લાખ પડાવી લીધા હતા.છેતરપીંડીનો ભોગ બનેલા વૃધ્ધ હરિકિશોર રામાસીસ ઠાકુર સરગાસણ સિધ્ધિ વિનાયક પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ મુળ બિહારના વતની છે. ગત તા. 11ના રોજ તેઓને વોટ્સએપ પર ટ્રાઇના અધિકારી તારા નિમ્બુઝ તરીકે ઓળખ આપનાર મહિલાએ ફોન કરીને તેઓની સામે આધારકાર્ડનો ખોટો ઉફયોગ, વાયોલન્સ સેન્ટીંગ, હેરેસમેન્ટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, જુગાર જેવા ઘણા કેસો હોવાની વાત કરી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃધ્ધે આ બાબત ખોટી હોવાનું કહેતા આ વ્યક્તિએ ખેલ નાખ્યો હતો. તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમમાં વાત કરાવું તેમ કહીને શંકર પાટીલ નામના પોલીસ સબ ઇન્સપેક્ટરની ઓળખ આપનાર વ્યક્તિ સાથે ફોન પર સંપર્ક કરાવ્યો હતો. શંકર પાટીલે તેમની સામે મનીલોન્ડરીંગનો કેસ હોવાનું કહી સુપ્રિમ કોર્ટનો ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. ત્યારબાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના ડીસીપી એસ.કે. જયસ્વાલ હોવાનું કહીને અન્ય એક શખસ સંપર્કમાં આવ્યો હતો. તેણે 90 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે તેમ કહીને વૃધ્ધને સતત સાત દિવસ સુધી ફોન પર ડરાવ્યા હતા. આથી વૃધ્ધડરી ગયા હતા અને તેઓએ એફડી સહિતના રોકાણ કરેલા પૈસા પરત પોતાના એકાઉન્ટમાં મેળવી 35.25 લાખ જેટલી માતબર રકમ સાયબર ગઠિયાઓએ આપેલ બેંક એકાઉન્ટમાં ત્રણ ટ્રાન્જેક્શન મારફત જમા કરાવી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગર સિવિલની મેડિસીન OPDમાં બે દિવસમાં 1,400થી વધુ દર્દીનો ધસારો
calendar_today January 7, 2026

Gandhinagar: ગાંધીનગર સિવિલની મેડિસીન OPDમાં બે દિવસમાં 1,400થી વધુ દર્દીનો ધસારો

શહેરના જૂના વિસ્તારમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે ગાંધીનગર સિવિલ અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં દવાખાના ઉભરાઈ રહ્યાં છે. ગાંધીનગર સિવિલની મેડિસીન ઓપીડીમાં જ હાલ દૈનિક 700થી વધુ દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેમાં ટાઈફોઈડના લક્ષણો અને તાવ સહિતના કારણોથી દૈનિક 400 જેટલા વિડાલ ટેસ્ટ કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં દૈનિક 500થી 600 જેટલી ઓપીડી રહેતી હોય છે. જેના સ્થાને હાલ દર્દીઓમાં વધારો નોંધાયો છે. મેડિસીન ઉપરાંત પીડિયાટ્રીક ઓપીડીમાં દૈનિક ઘણા બાળકોને આવી રહ્યાં છે.પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રોમવોટર લાઈનની કામગીરીઓ થયેલી છે. જેમાં કામગીરી ઉપર યોગ્ય સુપર વિઝન, કામગીરીની ગુણવત્તા સહિતના કારણોથી સેક્ટર-24, સેક્ટર-26, સેક્ટર-28, આદિવાડા વિસ્તારો રોગચાળામાં સપડાયા છે. જેની સીધી અસર ગાંધીનગર સિવિલની ઓપીડી ઉપર પડી છે. મેડિસીન વિભાગમાં ગઈકાલે જ 773 જેટલા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે આજે પણ દર્દીઓના આંકડો 700ને પાર પહોંચ્યો હતો. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં બીમારીઓનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી સિવિલના મેડિસીન વિભાગમાં ઓપીડીમાં દર્દીઓના ઘટીને 500ની આસપાર આવી જાય છે. જોકે હાલના સમયે જૂના સેક્ટરોમાં ફેલાયેલા રોગચાળાને પગલે સિવિલમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે. મેડિસીન વિભાગમાં હાલના સમયે આવતા દર્દીઓમાં મોટાભાગના જૂના સેક્ટરોમાં આવતા હોવાની વાત છે. ટાઈફોઈડ સ્થિતિ અને તાવના કેસોને જોતા અહીં દૈનિક 400 જેટલા વિડાલ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જીએમસીના આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward