android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સુરત બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
calendar_today January 6, 2026

Ahmedabad News : સુરત બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતના ન્યાયતંત્ર માટે આજનો દિવસ ભારેલા અગ્નિ જેવો રહ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ બોમ્બ હોવાનો નનામો સંદેશ મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. જજ, વકીલો અને મોટી સંખ્યામાં હાજર અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડીને પોલીસ દ્વારા આખા સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.અમદાવાદ કોર્ટ સંકુલમાં હડકંપઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. કોર્ટના દરેક ફ્લોર, લોકઅપ એરિયા અને પાર્કિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત અને અમદાવાદ એમ બે મુખ્ય શહેરોની કોર્ટને એક જ દિવસે નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું કાવતરું હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં બંને સ્થળોએ પોલીસ તપાસ ચાલુ છે અને આ ફેક કોલ હતો કે ખરેખર કોઈ જોખમ છે, તે દિશામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

Read Full Story arrow_forward
Gujarat News :  મિશન ડેઇલી વોટર, ગુજરાતના શહેરોમાં હવે નળથી જળનો નવો સૂર્યોદય
calendar_today January 6, 2026

Gujarat News : મિશન ડેઇલી વોટર, ગુજરાતના શહેરોમાં હવે નળથી જળનો નવો સૂર્યોદય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે. આ અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે એક રોલ મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ છે. આ વર્ષ દરમિયાન રાજ્યના જળ સંસાધનોમાં 92.97 MLD અને ટ્રાન્સમિશન નેટવર્કમાં 528.35 કિમીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મિશન ડેઇલી વૉટર સપ્લાય કરાયું લાગુ રાજ્યના દરેક નાગરિકને રોજિંદા ધોરણે સલામત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર ‘મિશન ડેઇલી વોટર સપ્લાય’ પર ભાર મૂકી રહી છે. હાલમાં ગુજરાતના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. બાકીના શહેરો પૈકી 30 શહેરોમાં વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી તેજ ગતિએ પ્રગતિમાં છે, જ્યારે અન્ય 32 સ્થાનિક સંસ્થાઓમાં પણ દરરોજ પાણી આપવા માટે આયોજનબદ્ધ આર્થિક અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ આ રીતે કરાય છે SCADA સિસ્ટમ પાણીના વિતરણને પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે મહાનગરોમાં અત્યાધુનિક SCADA (સ્કાડા) સિસ્ટમ કાર્યરત છે. આ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમની વિશેષતાઓમાં લીક ડિટેક્શન: પાઈપલાઈનમાં થતા ભંગાણની ત્વરિત જાણકારી, સમાન વિતરણ: દરેક વિસ્તારમાં સમાન દબાણ સાથે પાણીની પહોંચ, NRW ઘટાડો: પાણીના બિનજરૂરી બગાડ અને નુકસાન (Non-Revenue Water) માં ઘટાડો. રિયલ-ટાઇમ મોનિટરિંગ: પમ્પિંગ સ્ટેશન અને વાલ્વની સ્થિતિ પર સતત દેખરેખ. નાગરિકોને લાભ: દરરોજ પાણી મળવાને કારણે નાગરિકોને હવે લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરવાની જરૂર નહીં રહે, જેનાથી અન્ય જળ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. આ સુધારેલી વ્યવસ્થા શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં મોટો વધારો કરશે અને રાજ્યના સુગઠિત વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.આ પણ વાંચોઃAhmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર, PM ના હસ્તે ખુલ્લો મુકાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

Read Full Story arrow_forward
Gandhinagar : ટાઈફોઈડના કહેરને લઇ કોંગ્રેસનો વિરોધ, કમિશનરની ચેમ્બરમાં માટલા ફોડ્યા, તમામ સેમ્પલ સેફ હોવાનો કમિશનરનો દાવો
calendar_today January 6, 2026

Gandhinagar : ટાઈફોઈડના કહેરને લઇ કોંગ્રેસનો વિરોધ, કમિશનરની ચેમ્બરમાં માટલા ફોડ્યા, તમામ સેમ્પલ સેફ હોવાનો કમિશનરનો દાવો

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસને લઇ કોંગ્રેસે મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ નોંધાવ્યો અને ચેમ્બરમાં માટલા ફોડીને તંત્ર સામે આક્રોશ રજૂ કર્યો હતો.કોંગ્રેસનો દાવો છે કે ટાઈફોઈડના કહેરના કારણે બે બાળકોના મોત થયા કોંગ્રેસનો દાવો છે કે ટાઈફોઈડના કહેરના કારણે બે બાળકોના મોત થયા છે, જ્યારે મનપા તંત્ર તે બાબતે ખુલાસો કરે છે કે બન્ને બાળકોના મોત ટાઈફોઈડથી થયા નથી તમામ 21 લીકેજ બંધ કરાયા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું કે હાલ નાગરિકોને સારી ક્વોલિટીનું પાણી મળી રહ્યું છે અને તંત્ર રાત-દિવસ કામગીરીમાં વ્યસ્ત છે. તેમણે જણાવ્યું કે અગાઉના દૂષિત પાણીના મુદ્દાનું હવે નિવારણ થઈ ચૂક્યું છે, તમામ 21 લીકેજ બંધ કરાયા છે. ટાઈફોઇડના 88 દર્દીઓ સારવાર હેઠળ કમિશનરે કહ્યું કે ટાઈફોઇડના 88 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કમિશનરે વધુ જણાવ્યું કે 1,600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલ સેફ હોવાનું તેમણે જણાવ્યું છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Read Full Story arrow_forward