android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra:ગોવિંદ ગુરુ યુનિ.ના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે વા.ચા.ને રજૂઆત
calendar_today January 3, 2026

Godhra:ગોવિંદ ગુરુ યુનિ.ના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે વા.ચા.ને રજૂઆત

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝોલ યુનિવર્સિટીમાં ઘણા કોર્સના પરિણામ જાહેર થવાના બાકી, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ તેમજ U.G & P.G ડીગ્રી સર્ટિફ્કિેટની ફીમાં ઘટાડો કરવા બાબતે ABVP ગોધરા ધ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949થી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરે છે. 76 લાખથી વધારે સદસ્યો ધરાવતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. જે રાષ્ટ્રહિત, સમાજહિત તેમજ વિદ્યાર્થી હિત માટે કાર્ય કરતું સંગઠન છે. B.A, B.COM, B.B.A, B.S.C, B.S.W, L.L.B, B.C.A સેમ-5ની પરીક્ષા પૂર્ણ થયે 45 દિવસ થવા તેમજ M.A, M.S.C, M.S.W, M.COM, L.L.M, M.ED, B.ED સેમ-3 ને પરીક્ષા પૂર્ણ થયે 30 દિવસ ઉપર થયું હોવા છતાં પણ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીમાં U.G ના વિદ્યાર્થીઓની ડીગ્રી સર્ટિફ્કિેટ ફી 500 અને P.G ના વિધાર્થીઓની 1000 જે ખૂબ વધારે છે. તેમાં ઘટાડો કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ના ઉભી થાય. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઘણા વિધાર્થીઓ 50 કિ.મી. દૂરથી પણ અપડાઉન કરે છે, છતાં પણ ટ્રાસપોર્ટેશનનો ખૂબ જ અભાવ છે. જેના કારણે વિદ્યાર્થીઓને 2 કિમી સુધી ચાલતું જવું પડે છે. ઉપરોક્ત વિષયોની ગંભીરતાને ધ્યાને લઇ યુનિવર્સિટી ધ્વારા પરિણામો ત્વરિત પણે જાહેર કરવામાં આવે, U.G તેમજ P.G ના ડીગ્રી સર્ટિફ્કિેટની ફી મા ઘટાડો કરવામાં આવે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરતા પ્રમાણમાં કરવામાં આવે તેવી માંગ ABVP ગોધરા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada:કેવડિયાનું જંગલ સફારી આકર્ષણનું કેન્દ્ર
calendar_today January 3, 2026

Narmada:કેવડિયાનું જંગલ સફારી આકર્ષણનું કેન્દ્ર

વર્ષ દરમિયાન કેવડિયા જંગલ સફારીમાં દસ લાખ કરતા પણ વધારે પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અનેક દેશીવિદેશી પશુ પક્ષીએ બચ્ચાએ જન્મ આપ્યો છે. જેને વિહારતા જોવાનો અદભુત આનંદ પ્રવાસીઓ લઈ રહ્યાં છે. એકતા નગર વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ છે. ત્યારે અહીં પ્રવાસીઓને અન્ય પસંદગીમાં એક સ્થળ જંગલ સફારી પાર્ક પણ છે.સરદાર પટેલ જિયોલોજીકલ પાર્ક તરીકે ઓળખાતા જંગલ સફારીમાં ગત વર્ષે 10 લાખ કરતા પણ વધારે પ્રવાસ આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓને પસંદ પડે છે. કારણ કે, આ જંગલ સફારી પાકમાં ખુલ્લામાં પશુ પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય રીતે પક્ષીઓ પાંજરામાં હોય અને લોકો જતા હોય છે. પક્ષીઓ ખુલ્લામાં વિહરતા હોય એ પ્રકારના કેજ બનાવે છે. જે કારણે પ્રવાસીઓ દૂર દૂર થી આવી રહ્યા છે. સરદાર પટેલ જિયોલોજીકલ પાર્કના ડિરેક્ટર વિપુલ ચક્રવતીએ જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ વર્ષે ભારત પર્વ, પ્રકાશ પર્વની ઉજવણી થઈ જેના કારણે પણ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવ્યા હતા. ત્યારે ખાસ અત્યારે અહીં અનેક પશુ પક્ષીના બચ્ચાંનો જન્મ થયો છે. જે બચ્ચાને જોવાનો લાવો પણ પ્રવાસીઓ લઈ રહ્યા છે. ખાસ કરીને તેમને બ્લેક શ્વાન વાત કરી હતી કે, બ્લેક શ્વાનના બચ્ચા આવ્યા છે. જે તેની માતા સાથે ત્યાં ફરી રહ્યા છે. જે પ્રવાસીઓ જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:દોઢ વર્ષમાં ખનન માફિયા પર માટી ચોરીના 4 કેસ : રૂા.2.94 કરોડનો દંડ
calendar_today January 3, 2026

Bharuch:દોઢ વર્ષમાં ખનન માફિયા પર માટી ચોરીના 4 કેસ : રૂા.2.94 કરોડનો દંડ

વાગરામાં બેફામ રીતે માટી ખનન કરતાં ભુમાફિયાઓ સામે એક સબક બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં જ અલાદર ગામે ઝડપાયેલાં માટી ખનનના કેસમાં હજી કેટલાં પ્રમાણમાં માટી ચોરી થઈ છે તેની વિગતો મળી નથી. જોકે, અલાદર ગામના લીઝ ધારક લલીત શર્મા તેમજ તેમના સંતાનો તથા અન્ય સાગરિતો સામે દોઢ વર્ષમાં 3 કેસ થયાં છે અને કુલ 2.94 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી રહી છેવાગરા તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. કેટલાંક ખનન માફિયા નાની મોટી ખખનની પરવાનગી લીધાં બાદ તે જ સ્થળે પોતાની મનમાની મુજબ માટી ખનન કરી લેતાં હોય છે. તાજેતરમાં અલાદર ગામે એસડીએમ મનિષા મનાનીએ લલીત શર્માના નામે ચાલતી માટીની લીઝ પર ચેકિંગ કરતાં માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડયું હતું. જોકે, જે તે સમયે લલીત શર્માના બે પુત્રો ભાવેશ અને સુજીતે વહિવટી અધિકારીઓ સાથે રકઝકમાં ઉતર્યાં હતાં. જેના કારણે ખનન માફિયાઓની હિંમત આટલી વધી જવા પાછળના કારણોને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યાં છે. છેલ્લા દોઢ વર્ષમાં લલીત શર્મા અને તેના પુત્ર પર ત્રણ કેસમાં કુલ 2.94 લાખનો દંડ થયો છે. જેમાં 30મી નવેમ્બર 2024ના રોજ દહેજના વજાતરા ગામે 2 એક્સેવેટર મશીન અને 18 ડમ્પરો પકડાયાં હતાં. જેમાં 2977.91 મે.ટન માટી ખનનને લઈને સુજીત શર્મા, ગુલામ મુરતફા, શક્તિસિંહ રાઉલજી તેમજ લલીત શર્માને 12.34 લાખનો દંડ થયો હતો. જે બાદ 22મી મે 2024ના રોજ કડોદરા ગામે ચેકિંગ વેળાં 4 ડમ્પર-4 એક્સેવેટર મશીન પકડાયાં હતાં. સુજીત શર્મા તેમજ ઓમકારસિંહ રાણા ઉર્ફે લકીએ કુલ 1,03,962 મે.ટન માટી ચોરી કરતાં તેમને 2.56 કરોડનો દંડ થયો હતો. જે બાદ 12મી જૂન 2025માં નાંદિડા ગામે એક એકસેવેટર મશીન, 2 ડમ્પર પકડાયાં હતાં. તેમજ સુજીત શર્મા અને તેના અન્ય 3 સાગરિતોને 25.80 લાખનો દંડ કરાયો હતો. જોકે, હાલમાં ત્રણેય કેસ કોર્ટમાં પડતર છે.વહીવટી તંત્ર-પોલીસમાં ફરિયાદો છતાં ગેરકાયદે ખનન બિન્દાસ્ત ચાલે છે વહિવટી તંત્રમાં કલેક્ટરથી માંડી પોલીસ સહિત તમામ વિભાગને તે અંગે ફરિયાદ કરવામાં આવી છે. છતાં ખનન માફિયાઓમાં દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરાંત વિસ્તારમાં માટીની લીઝો લેતાં લલીત શર્મા કે તેના સંતાનો તેમજ ઓમકારસિંહ રાણા ઉર્ફે લકી, શક્તિસિંહ રાઉલજી સહિતના કેટલાંક મોટા માથાઓના નામો ગેરકાયદે ખનનમાં વારંવાર સામે આવતાં હોય છે. ગેરકાયદે ખનનમાં પકડાયેલા પરિવારને જ પુનઃ પરવાનગી મળતાં તર્કવિતર્ક વાગરા પંથકમાં ગેરકાયદે માટી ખનન માટે લલીત શર્મા તેમજ તેના બે પુત્રો સુજીત અને ભાવેશના નામો સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેમની સાથે સાથે ઓમકારસિંહ રાણા ઉર્ફે લકી નામના શખ્સની પણ ઘણી ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે વારંવાર ગેરકાયદે માટી ખનનમાં ઝડપાનારા પરિવારોને જ પુનઃ માટી ખનનની લીઝ મળી જતી હોવાને કારણે સંલગ્ન વિભાગમાં કે વહિવટી તંત્રમાં તેમની સારી સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward