Bharuch: છઠ્ઠ-સાતમનાં પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શનનું આકર્ષણ
ભરૂચ શહેરમાં છઠ્ઠ-સાતમના પર્વની પરંપરાગત ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છઠ્ઠ-સાતમના વાઘામાં મેઘરાજાના દર્શન માટે શ્રધ્ધાળુઓ અને લોકો ઉમટી રહ્યા છે. મેઘરાજાનું આકર્ષણ શણગાર કરવામાં આવ્યુ છે જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.આ વરસે મેઘરાજાના શણગારમાં ખાસ કરીને આદિવાસી સમાજની વારલી પેઈન્ટિંગ થીમ રજૂ કરવામાં આવી છે. પરંપરાગત આદિવાસી કળામાં જોવા મળતા આકારો, રંગો અને લોકજીવન સાથે જોડાયેલી કલાત્મક અભિવ્યકિતને મેઘરાજાના શણગાર સાથે સાંકળવામાં આવી છે જેના કારણે મેઘરાજાનું સ્વરૂપ વધુ આગવું અને મનમોહક લાગી રહ્યુ છે. ભરૂચની છઠ્ઠ-સાતમની પરંપરામાં ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ અને કળાનો પણ સુંદર સમન્વય જોવા મળે છે.આ વરસે આદિવાસી કળાને શણગારમાં સ્થાન આપવામાં આવતા સ્થાનિક લોકકળાને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે. મેઘરાજાના આ વિશિષ્ટ શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને વારલી પેઈન્ટિંગની થીમ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. લોકો મેઘરાજાના દર્શન સાથે આ સુંદર શણગારના ફોટોગ્રાફસ અને વિડીયો પણ બનાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward