android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: છઠ્ઠ-સાતમનાં પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શનનું આકર્ષણ
calendar_today September 2, 2026

Bharuch: છઠ્ઠ-સાતમનાં પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શનનું આકર્ષણ

ભરૂચ શહેરમાં છઠ્ઠ-સાતમના પર્વની પરંપરાગત ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છઠ્ઠ-સાતમના વાઘામાં મેઘરાજાના દર્શન માટે શ્રધ્ધાળુઓ અને લોકો ઉમટી રહ્યા છે. મેઘરાજાનું આકર્ષણ શણગાર કરવામાં આવ્યુ છે જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.આ વરસે મેઘરાજાના શણગારમાં ખાસ કરીને આદિવાસી સમાજની વારલી પેઈન્ટિંગ થીમ રજૂ કરવામાં આવી છે. પરંપરાગત આદિવાસી કળામાં જોવા મળતા આકારો, રંગો અને લોકજીવન સાથે જોડાયેલી કલાત્મક અભિવ્યકિતને મેઘરાજાના શણગાર સાથે સાંકળવામાં આવી છે જેના કારણે મેઘરાજાનું સ્વરૂપ વધુ આગવું અને મનમોહક લાગી રહ્યુ છે. ભરૂચની છઠ્ઠ-સાતમની પરંપરામાં ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ અને કળાનો પણ સુંદર સમન્વય જોવા મળે છે.આ વરસે આદિવાસી કળાને શણગારમાં સ્થાન આપવામાં આવતા સ્થાનિક લોકકળાને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે. મેઘરાજાના આ વિશિષ્ટ શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને વારલી પેઈન્ટિંગની થીમ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. લોકો મેઘરાજાના દર્શન સાથે આ સુંદર શણગારના ફોટોગ્રાફસ અને વિડીયો પણ બનાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા
calendar_today September 2, 2026

Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા

ભરૂચ એલસીબીની ટીમ હાલમાં તહેવારોના દિવસો હોઈ શહેર-જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરે છે.દરમિયાનમાં એએસઆઈ સંજય તેમજ કોન્સ્ટેબલ નિમેષને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામે ગોડર સ્ટ્રીટ ખાતે રહેતોરફીક સાપા તેના જૂના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડે છે. જેના પગલે તેમણે એલસીબી પીઆઈ મનિષ વાળાને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. કે. ટોરાણી તેમની ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. તેઓ રફીક સાપાના ઘર પાસે પહોંચતાં ઘરને ચારેય તરફથી ઘેરી દરવાજા પાસે જતાં દરવાજો ખુલ્લો જણાયો હતો.જેથી તેઓએ અંદર પ્રવેશી પહેલાં માળે જતાં ત્યાં કેટલાંક લોકોએ ટોળું વળી જુગારની મહેફીલ જમાવી હોવાનું જણાયું હતું. ટીમે જુગારનો અડ્ડો ચલાવનાર રફીક સુલેમાન સાપા (રહે. ટંકારીયા સાપા ફળિયુ) સહિત કુલ 19 જુગારિયાઓને ઝડપી પાડી સ્થળ પરથી ક્લબમાં વપરાતા 151 ટોકન કોઈન, સહિત પ્લાસ્ટીક-સ્ટીલની 12 ટોકરી, બે બોર્ડ, સીલ પેક્ કેટ તેમજ વપરાયેલી કેટ સહિત કુલ 1.25 લાખના 17 મોબાઈલ તેમજ 1.16થી વધુની રોકડ મળી કુલ 2.42 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ટીમે જપ્ત કર્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે, અગાઉ ટંકારિયામાં પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવતાં પોલીસ પર હુમલો થવાની ઘટનાઓ બની હતી.જેના પગલે ટીમે તમામને પાલેજ પોલીસ મથકે ખસેડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં રફીકે કબુલ્યું હતું કે, તે તેના જૂના ઘરમાં રમાડતાં જુગારના અડ્ડા પર રમવા આવતાં બહારના વ્યક્તિઓ પાસેથી એન્ટ્રી ફી તરીકે પહેલાં 500 રૂપિયા લેતો હોય છે.જે બાદ તે દરેક વ્યક્તિને 4 હજાર રોકડા લઈ તેના બદલામાં કોઈન આપો હતો. જે બાદ પણ તે જુગારીયાઓ પાસેથી દર કલાકના 500 રૂપિયા લેતો હોવાની પણ તેણે કબુલાત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: જિલ્લા જેલમાં શ્રાવણ નિમિત્તે વૈદિક રુદ્ર પૂજા યોજાઈ
calendar_today September 2, 2026

Bharuch: જિલ્લા જેલમાં શ્રાવણ નિમિત્તે વૈદિક રુદ્ર પૂજા યોજાઈ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે વૈદિક વિધિ-વિધાન સાથે રૂદ્ર-પૂજા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોલીસે મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજય અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ ઈન્ચાર્જ અધિક્ષક એન.પી.રાઠોડના નેતૃત્વમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન, ભરૂચના કો-ઓર્ડિનેટર સંગીતા શુકલાના સહયોગથી પંડિતજી તથા સ્વામીજી દ્વારા સંપુર્ણ વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રૂદ્ર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. પૂજા દરમ્યાન કરવામાં આવેલા પવિત્ર મંત્રોચ્ચારથી જેલ પરિસરમાં આદ્યાત્મિક અને શાંતિપુર્ણ વાતાવરણ જોવા મળ્યુ હતુ. કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલ પરિસરમાં સકારાત્મક અને પવિત્ર વાતાવરણનું નિર્માણ કરવા ઉપરાંત બંદીવાનોમાં હકારાત્મક અભિગમ, આત્મશાંતિ, આત્મવિશ્વાસ તથા માનવીય મુલ્યોનું જતન અને ઉત્થાન થાય તેવો હતો.આ ધાર્મિક-આદ્યાત્મિક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના બંદીવાનોએ પણ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. રૂદ્ર પૂજા દરમ્યાન સમગ્ર જેલ પરિસરમાં ભક્તિભાવ અને શાંતિનો માહોલ છવાયો હતો. જેલ વહીવટી તંત્ર દ્વારા બંદીવાનોના માનસિક અને સામાજીક પુનર્વસનના હેતુથી સમયાંતરે વિવિધ આદ્યાત્મિક તથા સુધારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોમાં સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને માનવીય સંવેદનાઓ વિકસે તે દિશામાં જેલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward