Dabhoi: ડભોઇના નડા રેલવે સ્ટેશન નજીક અજગરનું રેસ્ક્યૂ કરાયું
ડભોઇ તાલુકાના નડા રેલવે સ્ટેશન નજીક મોટા હબીપુરા ગામ તરફ્ જવાના માર્ગ પર આવેલા ગરનાળામાં મંગળવારે રાત્રી ના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. ગરનાળામાં અજગર હોવાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહાકાય અજગરને જોવા માટે લોકોની ભીડ એકત્ર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે અંગે ડભોઇની નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરાતાં તેના કાર્યકરોએ ઘટના સ્થળે દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે અજગરને છોડી દેવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward