Mahesana: તાલુકામાં 12,675 નાગરિકોને નવા અને સુધારેલા ચૂંટણી કાર્ડનું વિતરણ કરાયું
મહેસાણા તાલુકામાં નોંધાયેલા નવા મતદારો અને ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરાવનાર કુલ 12,675 નાગરિકોને નવા ચૂંટણી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીના મતદારોને બીએલઓ દ્વારા રૂબરૂ સંપર્ક કરીને ચૂંટણી કાર્ડ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આગામી 9 અને 11, સપ્ટેમ્બરના રોજ ભાસરીયા અને છઠીયારડામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેન્કીંગ સુવિધાઓ અને સમાજ સુરક્ષા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર જ ત્વરિત સુધારા-વધારા કરાવી શકશે. હજુ બાકી રહી ગયેલા મતદારોએ જે-તે વિસ્તારના બીએલઓ પાસે નવા ચૂંટણી કાર્ડ તેમજ સુધારા કરાવી શકશે.મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયાએ જણાવ્યું હતું કે, તા.1.1.26 થી તા.1.9.26ના સમયગાળા દરમિયાન ફોર્મ નંબર-6ના આધારે 5,246 નવા ચૂંટણી કાર્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફોર્મ નંબર-8 હેઠળ 7,429 કાર્ડમાં જરૂરી સુધારા-વધારાની કામગીરી પૂર્ણ કરી વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ 12,675 જેટલા સુધારેલા અને નવા ચૂંટણી કાર્ડ સંબંધિત મતદારો સુધી સફ્ળતા પૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. જેથી આગામી ચૂંટણીમાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward