Gujarat લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, વિકાસલક્ષી મુદ્દાઓ પર કરી ચર્ચા
ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત લોકભવન ખાતે ભવ્ય અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.વિકાસ અને નવીનતાને મળશે નવી ગતિ આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત આગમન હરહંમેશ રાજ્યના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને એક નવી દિશા અને વેગ આપે છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત અનેક ક્ષેત્રોમાં મોખરે રહ્યું છે અને આ મુલાકાતથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારતના સંકલ્પ પર ભાર રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરતા ઉમેર્યું કે: વડાપ્રધાનનું દુરંદેશી નેતૃત્વ ભારતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી રહ્યું છે. તેમની 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના અને અવિરત કાર્યસાધના દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. આ નેતૃત્વ ભારતને 'આત્મનિર્ભર' અને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવાના સંકલ્પને વધુ મજબૂત અને સશક્ત બનાવે છે. વડાપ્રધાનની આ મુલાકાત માત્ર રાજકીય નહીં પણ ગુજરાતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ કડી સમાન સાબિત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward