Ahmedabad News : કોચરબ આશ્રમ શું છે, જાણો મહાત્મા ગાંધીએ સ્થાપેલા ભારતના પ્રથમ આશ્રમનો ઇતિહાસ
કોચરબ આશ્રમ કે જેને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોચરબ આશ્રમ અમદાવાદમાં પાલડી ખાતે આવેલો છે. આ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અમદાવાદના પાલડીમાં આવેલ આ કોચરબ આશ્રમ ફક્ત ગુજરાત જ નહીં ભારતમાં એક ઐતિહાસિક સ્થળ અને સંગ્રહાલય છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીએ ભારતમાં સ્થાપેલો આ પ્રથમ આશ્રમ હતો. સાબરમતી આશ્રમ પહેલા આ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ કોચરબ આશ્રમની કરી સ્થાપના કોચરબ આશ્રમની સ્થાપના આઝાદી પહેલા કરવામાં આવી હતી. મોટાભાગના લોકો અમદાવાદ અને ગાંધીજીને સાબરમતી આશ્રમ સાથે વધુ સાંકળે છે. બહુ ઓછા લોકો આ કોચરબ આશ્રમ વિશે જાણે છે. આ આશ્રમની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબની આશ્રમની સ્થાપના બાદ ગાંધીજી બે વર્ષ સુધી તેઓ આંદોલનના અન્ય કેટલાક સભ્યો સાથે આશ્રમમાં રહ્યા હતા. આ કોચરબ આશ્રમ પહેલા જીવણલાલ વ્રજરાય દેસાઈ નામના વકીલનો બંગલો હતો. ગાંધીજીએ વકીલ જીવણલાલ પાસેથી આ જગ્યા ભાડે લીધી અને 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. કોચરબ આશ્રમ આઝાદીની ચળવળનું ઐતિહાસિક સ્થળઅમદાવાદમાં આવેલ કોચરબ આશ્રમ આઝાદીની ચળવળનું ઐતિહાસિક સ્થળ છે. ગાંધીજીએ આ આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવી હતી. આ આશ્રમની સ્થાપના બાદ ગાંધીજી લાંબા સમય સુધી અંહી રહ્યા હતા. ધીરે-ધીરે તેમની સાથે રહેતા લોકોની સંખ્યા વધી ગઈ. ગાંધીજીની દેશમાં લોકપ્રિયતા વધતા કોચરબ આશ્રમ નાનો પડવા લાગ્યો અને તેને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદથી લોકો સાબરમતી નદી કિનારે આવેલ સાબરમતી આશ્રમને વધુ ઓળખવા લાગ્યા છે. કોચરબ આશ્રમ જર્જરીત થવા લાગ્યો હતો. PM મોદીએ મોદીએ કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યુંજો કે રાજ્ય સરકાર દ્વારા આ આશ્રમની કાયાપલટ કરવામાં આવી તેને પુનઃ વિકસિત કરવામાં આવ્યો. વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યું હતું. આ આશ્રમનું મૂળ નામ 'સત્યાગ્રહ આશ્રમ' હતું. ગાંધીજીએ અહીંથી જ તેમના સત્ય અને અહિંસાના વિચારોનું ભારતમાં અમલીકરણ શરૂ કર્યું હતું. આ આશ્રમ અત્યારે એક સ્મારક અને મ્યુઝિયમ તરીકે સચવાયેલો છે. ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા, તે ઓરડો, તેમની ચરખી (રેંટિયો) અને અન્ય વસ્તુઓ આજે પણ જોવા મળે છે.
Read Full Story arrow_forward